વેરાવળ નજીક બોલેરોએ બાઇકને ઠોકર મારતા આધેડનું મોત

  • September 19, 2024 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેરાવળના સાંઈબાબા મંદિર નજીક બોલેરોએ બાઇકને ઠોકરે લેતા બાઈક ચાલક આધેડનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન રાજકોટ સિવિલમાં મોત નીપયું છે.
વેરાવળ હત્પડકો સોસાયટીમાં રહેતા મનસુખગીરી લક્ષમણગિરી મેઘનાથી (ઉ.વ.૫૫) નામના આધેડ ગત તા,૧૩ના રાત્રીના સાડા નવેક વાગ્યે પોતાનું મોટર સાઇકલ લઈને જતા હતા ત્યારે સાંઈબાબા સર્કલ પાસે પુરપાટ ઝડપે આવતા બોલેરોએ બાઇકને ઠોકરે લેતા આધેડ ફંગોળાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રથમ વેરાવળ આદિત્ય બિરલા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા ગત રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રભાસપાટણ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાગળો કર્યા હતા. મૃતક ફેકટરીના મજૂરી કામ કરવાની સાથે મંદિરમાં સેવા પૂજા કરતા હતા. પોતે ત્રણ ભાઇમાં મોટા હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે. અકસ્માત સર્જી નાસી જનાર બોલેરો ચાલકની પોલીસે શોધખોળ છે. આધેડના મોતથી પરિવારમાં શોક છવાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application