જામનગરમાં ઢીંચડા રોડ પર યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા એરફોર્સના કર્મચારીની પત્નીનો સંતાન પ્રાપ્તિના વિયોગમાં જિંદગીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઢીંચડા રોડ પર યોગેશ્વરધામ સોસાયટીમાં રહેતા એરફોર્સ ના કર્મચારી શૈલેન્દ્ર કુમાર ત્રિવેદી ની પત્ની રાસીબેન ત્રિવેદી (ઉ.વ.૩૦)એ પોતાને કોઈ સંતાન પ્રાપ્ત નહીં થતાં જિંદગી થી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. શૈલેન્દ્ર અશોકકુમાર ત્રિવેદીએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક પરણીતા ને સાત વર્ષના લગ્ન ગાળા દરમિયાન સંતાન પ્રાપ્ત થયું ન હોવાથી, અને તે અંગેની જરૂરી દવા અને સારવાર કરાવ્યા છતાં પણ સંતાન પ્રાપ્ત નહીં થતાં સંતાન ના વિયોગમાં આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMલોરેન્સ બિશ્નોઈને મોકલું? : સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી
September 19, 2024 06:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech