ખંભાળિયાના આહિર સિંહણ ગામે સોમવારે પહેડી મહોત્સવ

  • September 16, 2023 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજમાન શ્રી ક્ષત્રીય સંઘાર સમાજના ઇષ્ટદેવ શ્રી સંઘાયડા વાળા જખ્ખડાડાનાં પવિત્ર પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ ત્રીજના પ્રથમ સોમવારે જખ્ખડાડાની પહેડી મહોત્સવનું સૌરાષ્ટ્ર કચ્છ વાગડ અને જખ્ખ બૌતેરા પહેડી સિમિત દ્વારા સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.


આ કાર્યક્રમમાં સોમવાર તા. 18 ના રોજ સવારે સાડા દસ વાગ્યે મહાઆરતી, બપોરે 11 વાગ્યે ધ્વજારોહણ અને સાડા બાર વાગ્યે સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ આયોજનમાં સહભાગી થવા સર્વે સૌરાષ્ટ્ર કચ્છ વાગડનાં ક્ષત્રીય સંઘાર સમાજના ભાઈઓ-બહેનોને સહ પરિવાર ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ માટે જખ્ખ બૌતેરા પહેડી સમિતિના જેસંગભાઈ સંઘાર, ઉપેન્દ્રભાઈ સંઘાર તથા કેશુભાઈ સંઘાર, વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application