લોકોમાં રક્તદાન તેમજ મૃત્યુ પછી અંગદાન અંગે જાગૃતિ આવી રહી છે, ત્યારે હવે અન્ય દર્દીઓને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અન્ય અંગો સાથે ત્વચાદાન પણ થવા લાગ્યું છે. રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં કેડેવર દર્દીઓની ત્વચાનું દાન સ્વીકારાય છે. રાજકોટમાં તાજેતરમાં અવસાન પામેલા સ્વ.વાલજીભાઈ કડવાભાઈ રાબડિયાનું ત્વચાદાન કરાયું હતું.
સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર. એસ.ત્રિવેદીની યાદીમાં જણાવ્યા પ્રમાણે સ્વ. સ્વ.વાલજીભાઈ કડવાભાઈ રાબડિયા તા. ૨૩ મેના રોજ અવસાન પામ્યા હતા. સ્વજનના મૃત્યુના આઘાત વચ્ચે પણ પરિવારે અન્ય દર્દીઓને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અંગદાન-ત્વચાદાનનો નિર્ણય કર્યો હતો. આથી તેમના પરિવારે પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેન્કનો સંપર્ક કરતાં સ્કીન બેન્કની ટીમે મૃતકની સ્કીન હાર્વેસ્ટ કરીને સ્કીન ડોનેશનમાં મેળવી હતી.
આ સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી રિવકર થશે. તથા આ સ્કીનનો ટ્રોમાના દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસિંગ માટે પણ ઉપયોગ કરી શકાશે.
પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના અધિક્ષક ડૉ. આર.એસ.ત્રિવેદી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા મોનાલી માકડિયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.
આ લોકો કરી શકે છે સ્કિન ડૉનેટ
જે વ્યક્તિએ મૃત્યુ બાદ સ્કીનનું દાન કરવાનો સંકલ્પ કર્યો હોય અથવા મૃત્યુ પછી સગા તરફથી સ્કીન ડોનેશન કરવાની સહમતિ આપવામા આવી હોય તેવા ૧૮ વર્ષથી વધુ વયના કોઈ પણ બ્લડ ગ્રુપ ધરાવતા દર્દી સ્કીન ડોનેશન કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech