ભાટીયામાં ક્રાંતિવીર મુળુભા માણેકની પ્રતિમા શોભાયાત્રા આવતાં અઢારે સમાજ દ્વારા સન્માન

  • May 03, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાઘેર સમાજના ક્રાંતિવીર મુળુભા માણેકની વિશાળ પ્રતિમા શોભાયાત્રા ભાટીયા ખાતે આવી પહોંચતા ભાટીયા ગામના અઢારે સમાજના આગેવાનોએ મુળુભા માણેકની પ્રતિમાને ફૂલહારથી સ્વાગત સન્માન કર્યું હતું સાથે સાથે સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના પ્રમુખ પબુભાનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સ્વાગત-સન્માન બારાડી વિસ્તારના લોહાણા સમાજના પ્રમુખ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ) સતવારા સમાજના અગ્રણી ડી.એલ. પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ નંગાભાઇ ગાધેર, આગેવાનો રામભાઇ ગઢવી, દામભાઇ દાવડા, સવજીભાઇ સોનગરા, લાલજીભાઇ ધોડીયા, રતનશીભાઇ કણઝારીયા, પરેશ હરીયાણી, જનાભાઇ ભોગાયતા, પરેશભાઇ દાવડા, કારાભાઇ ધ્રેવાડા, વેજાણંદભાઇ ચાવડા, લાલભાઇ વાણદ, નટુભાઇ સોની, ઓસુભાઇ ચાકી, નારણભાઇ મથ્થર, ગોપાલભાઇ પરમાર, જયેશભાઇ ચુડાસમા, ગોરધનભાઇ પરમાર, અશોક રાઠોડ, પરબત કણઝારીયા, ચેતન રબારી વિગેરેએ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application