અદાણી ગ્રુપ હવે શ્રીલંકામાં પોર્ટ બનાવવા માટે અમેરિકાની ફાઈનાન્સિયલ કંપની ડીએફસી પાસેથી લોન લેશે નહીં. કંપનીએ આ બંદર જાતે જ બનાવવાનો નિર્ણય લીધો છે. અદાણી પોટર્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે જણાવ્યું હતું કે કંપની હવે શ્રીલંકામાં પોર્ટ કન્સ્ટ્રકશન પ્રોજેકટ માટે જરી ફાઇનાન્સ પોતાની પાસેથી અને કેપિટલ મેનેજમેન્ટ પ્લાન હેઠળ એકત્ર કરશે. કંપનીએ કહ્યું કે અમે ડીએફસી પાસેથી ભંડોળ પૂં પાડવાની વિનંતી પાછી ખેંચી લીધી છે.
ગઈકાલે મોડી રાત્રે સ્ટોક એકસચેન્જમાં ફાઈલ કરવામાં આવેલી રેગ્યુલેટરી ફાઈલિંગમાં અદાણી પોટર્સ અને એસઈઝેડમાં આ નિર્ણય અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેકટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને આ ટર્મિનલ આવતા વર્ષની શઆતથી કામ કરવાનું શ કરશે. કંપનીએ કહ્યું કે હવે કંપની આ પ્રોજેકટ માટે જરી ફાઇનાન્સ પોતાની પાસેથી અને કેપિટલ મેનેજમેન્ટ પ્લાન હેઠળ એકત્ર કરશે. અદાણી પોટર્સ અને એસઈઝેડએ જણાવ્યું હતું કે અમે અમેરિકાના ડીએફસી પાસેથી ફંડિંગ માટેની વિનંતી પાછી ખેંચી લીધી છે.
અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં ગૌતમ અદાણી અને જૂથ સાથે સંકળાયેલા સાત લોકો પર ૨૬૫ મિલિયન ડોલરની લાંચ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગૌતમ અદાણી સહિત સાત લોકો પર ૨ બિલિયન ડોલરનો સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેકટ મેળવવા માટે અધિકારીઓને ૨૬૫ મિલિયન ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ છે. જો કે, અદાણી જૂથે તેના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ગ્રીનના ડિરેકટરો સામે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને યુએસ સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન દ્રારા લાંચ લેવાના અને છેતરપિંડીના આરોપોને સખત રીતે નકારી કાઢા છે. આ આરોપોને કારણે આ જૂથને ભારતમાં રાજકીય હત્પમલાનો સામનો કરવો પડો છે.ચીનના પ્રભાવને ઘટાડવા માટે વર્ષ ૨૦૨૩માં અમેરિકાએ કોલંબોમાં અદાણી જૂથ દ્રારા બનાવવામાં આવી રહેલા કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેકટ માટે ભંડોળ પૂં પાડવાનું નક્કી કયુ હતું. અમેરિકાના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પેારેશને કોલંબોમાં બની રહેલા પોર્ટ માટે ૫૫૩ મિલિયન ડોલરનિં ફાઇનાન્સ આપવાનું વચન આપ્યું હતું જેથી કરીને આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને ઘટાડી શકાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech