લાલપુરના અપહરણ-મારામારીનો આરોપી ગીરફતાર

  • December 19, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેરોલ ફર્લો સ્કવોડે બાયપાસેથી પકડી સોંપી આપ્યો

લાલપુર પોલીસ સ્ટેશનના અપહરણ તથા મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા અંગે સુચના આપવામાં આવેલ હોય જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જેે. મિયાત્રા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરુરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન સ્ટાફના લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને બાતમી મળેલ કે, જામનગર લાલપુર પોલીસ સ્ટેશનના કલમ ૩૨૩, ૩૬૫, ૩૮૫, ૧૧૪, ૫૦૪ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી દિવ્યરાજસિંહ સુરુભા જાડેજા રહે. ખીજદડ, તા. કલ્યાણપુર, જી. દેવભુમી દ્વારકાવાળો લાલપુર બાયપાસ પાસે આવેલ છે.
જે હકીકત આધારે તપાસ કરતા આરોપી દિવ્યરાજસિંહ મળી આવતા તેને પકડી પાડી આગળની કાર્યવાહી માટે લાલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application