પોરબંદરમાં વીજચોરીના બે કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે.
બનાવની વિગત એવી છે કે આરોપી ચીમન નરશી મકવાણા દ્વારા ફેબ્રુઆરીએ-૨૦૨૧ અને ડિસેમ્બર -૨૦૨૧ પોતાના કબ્જાવાળા મકાનની બાજુમાં આવેલ વીજપોલમાંથી વીજચોરી કરેલ હતી. ગેરકાયદેસર હુક નાખીને પાવરચોરીનો ગુન્હો બે વાર દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે બંને કેસમાં ચાર્જશીટ રજૂ થતા અને આરોપીને સમન્સ મળતા આરોપી ચીમન નરશી મકવાણા દ્વારા પોરબંદરના એડવોકેટ જગદીશ માધવ મોતીવરસની નિમણૂંક કરવામાં આવેલી. ત્યારબાદ કેસ ચાલતા દરમ્યાન બચાવપક્ષે એવી દલિલ કરવામાં આવેલી હતી કે આરોપી જે રહેઠાણમાં રહે છે તેનો પુરાવો રજૂ કરેલ નથી. પંચો દ્વારા જે પંચનામુ કરેલ છે. તેમાં પોતાની સહી સિવાય કોઇ બાબત જાણતા નથી. ખુદ ફરિયાદીએ એવા પ્રકારનો પુરાવો આપેલ છે કે, અમો ચેકીંગ દરમિમયાન બનાવના સ્થળ ઉપર હાજર હતા નહી. અમો આરોપીને ઓળખતા નથી. જેથી બંને ફરિયાદમાં ફરિયાદપક્ષ પોેતાનો કેસ પુરવાર કરી શકે તેવા કોઇ પુરાવા રજૂ કરેલ નથી. વગેરે દલીલો ધ્યાને લઇ પોરબંદરની ડિસ્ટ્રિીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ધી ઇન્ડિયન ઇલેકટ્રીસીટી એકટ કલમ-૧૩૫ (વીજચોરી)ના ગુન્હાના આરોપી બંને કેસમાં નિર્દોષ કરવાનો હુકમ આપેલછે.
આરોપી તરફે પોરબંદરના એડવોકેટ જગદીશ માધવ મોતીવરસ ઓફિસમાંથી દર્શનાબેન પુરોહિત રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ભારત, વધતી GDPની એક્સપોર્ટ પર દેખાઈ રહી છે અસર
September 21, 2024 04:21 PMએર માર્શલ અમર પ્રીત સિંહ હશે એરફોર્સના નવા પ્રમુખ, 30 સપ્ટેમ્બરથી સંભાળશે કાર્યભાર
September 21, 2024 04:09 PMનવરાત્રી મેદાનોના ટેન્ડરમાં 59,10,627ની આવક
September 21, 2024 03:50 PMઆતિશીએ દિલ્હીના આઠમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
September 21, 2024 03:47 PMJ&Kમાં આતંકવાદ ફેલાવવામાં ગાંધી, અબ્દુલ્લા અને મુફ્તી પરિવારની મહત્વની ભૂમિકા : શાહ
September 21, 2024 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech