જામનગરમાં પરણીતાનો પરિવાર સાથે મિલાપ કરાવતી અભ્યમ ટીમ

  • February 27, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા એક સજ્જન નાગરીકે કોલ કરી જણાવેલ કે એક બહેન સવારના હનુમાન મંદિર પાસે આવીને રડતા હતા તેની મદદ માટે જાગૃત નાગરિકે ૧૮૧ ટીમ બોલાવેલ હતા.
૧૮૧ પર કોલ આવતાની સાથે કાઉન્સિલર દર્શના મકવાણા, કોન્સ્ટેબલ મયુરીબેન તથા પાઇલોટ કેતનભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા પીડિતા મહિલાના કાઉન્સેલિંગ દરમિયાન ટીમને જાણવા મળ્યું કે પીડિતા બહેનને તેની નણંદ દ્વારા અવાર નવાર હેરાનગતિ કરે છે ત્રાસ આપવામાં આપે છે ગઈ કાલના રોજ નણંદ દ્વારા હાથ ઉપાડેલ ત્યારબાદ પીડિતા બહેનને માથામાં સાવરણી મારી અને અપશબ્દો બોલતા હતા એટલે હું ઘરેથી નીકળી ગઈ છું અને મારે હવે મારી ઘરે નથી જવું તેમ જણાવ્યુ હતું.
 ૧૮૧ ટીમ દ્વારા સાંત્વના આપેલ અને તેમના પતિનો સંપર્ક મેળવ્યો અને પીડિતા બહેનને તેમના પતિના ઘરે જવા માટે સમજાવામાં આવેલ અને ત્યારબાદ પીડિતાનાં ઘરે જવા રવાના થયેલ અને ત્યાં જઈ ને તેમના નણંદનું કાઉન્સિલિંગ કર્યું કાયદાકીય માહિતી આપી અને ફરી વાર આવું ના કરે તેવું કાયદાની ભાષામાં સમજવામાં આવેલ ત્યારબાદ ઘરના સભ્યો દ્વારા ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરેલ પીડિતા બહેનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application