આરાધ્યા બચ્ચનનું અદભૂત ટ્રાન્સફોર્મેશન જોઈ ચાહકો અચંબિત
તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં આરાધ્યા બચ્ચનનું અદભૂત પરિવર્તન જોવા મળ્યું. ઘણાએ કહ્યું છે કે, આરાધ્યા હવે નેવુંના દાયકાની ઐશ્વર્યા રાય જેવી જ લાગે છે.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધીની અનેક નાની-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. સલમાન ખાન, શાહરૂખ ખાન, ગૌરી ખાન, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, કેટરિના કૈફ-વિકી કૌશલ, જાહ્નવી કપૂર, કરીના કપૂર-સૈફ અલી ખાન જેવી ઘણી સેલિબ્રિટીઓ જોવા મળી હતી.બચ્ચન પરિવાર અનંતના પ્રી-વેડિંગમાં સામેલ થયો હતો.
પરંતુ આ બધા વચ્ચે એક સ્ટાર કિડે સોશિયલ મીડિયા પર નેટીઝન્સનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. આ સ્ટારકીડ બીજું કોઈ નહીં પણ અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્યા બચ્ચન છે. બચ્ચન પરિવાર અને અંબાણી વચ્ચે ખાસ સંબંધ છે. આરાધ્યાનું ટ્રાન્સફોર્મેશન જોઈને બધા ચોંકી ગયા હતા.
આ પહેલા આરાધ્યા હંમેશા એક જ હેરસ્ટાઈલમાં જોવા મળતી હતી. તેની હેરસ્ટાઈલને કારણે તે ઘણી વખત ટ્રોલ પણ થઈ હતી. હવે આરાધ્યા નવી હેરસ્ટાઈલમાં જોવા મળી રહી છે. આ વખતે તેણે પિંક લહેંગા પહેર્યો હતો અને માતા ઐશ્વર્યાનો હાથ પકડીને ઇવેન્ટમાં પહોંચી હતી. જ્યારે આ બંને પ્રવેશ્યા ત્યારે બધાની નજર તેમના પર ટકેલી હતી. ખાસ કરીને નેટીઝન્સ આરાધ્યાની બદલાયેલું ટ્રાન્સફોર્મેશન જોઈને ચોંકી ગયા હતા. કારણ કે આ કાર્યક્રમમાં આરાધ્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી.આરાધ્યા તેની માતાને સુંદરતાના મામલે હરીફાઈ આપે છે
આખો પરિવાર સાથે જોવા મળ્યો
આરાધ્યા ઘણીવાર ઐશ્વર્યા અને અભિષેક સાથે વિવિધ ઈવેન્ટ્સમાં જોવા મળે છે. નેટીઝન્સે પહેલા પણ તેને ટ્રોલ કરી હતી અને પૂછ્યું હતું કે, તે સ્કૂલે જાય છે કે નહીં, તેને આટલી બધી રજાઓ કેવી રીતે મળે છે. અભિષેકે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ જવાબ આપીને ટ્રોલર્સને ચૂપ કરી દીધા હતા.
તમામ શાળાઓમાં શનિવાર-રવિવારે રજા હોય છે. તેથી કૃપા કરીને આ વસ્તુઓ વિશે વાત કરશો નહીં’, તેણે કહ્યું. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન 20 એપ્રિલ 2007ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઐશ્વર્યાએ 16 નવેમ્બર 2011ના રોજ આરાધ્યાને જન્મ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech