હરીપર મેવાસામાં ઝેરી અસર થવાથી યુવતિનો ભોગ લેવાયો

  • July 27, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના હરીપર મેવાસામાં વાડીએ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વેળાએ યુવતિને ઝેરી અસર થતા સારવારમાં લઇ જતા જયાં તેણીનું મૃત્યુ નિપજયું છે.
કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ખાતે રહેતી ‚દનબેન દાનાભાઇ વંશ (ઉ.વ.૨૫) નામની યુવતિ ગત તા. ૧૬ના સવારના સુમારે તેણી કપાસના પાકમાં દવાનો છંટકાવ કરતા હતા તથા ફોગાભાઇ વાડીએ કપાસના પાકમાં સાથી હાંકતા હતા, દરમ્યાનમાં ‚દનબેનને દવાનો છંટકાવ કરતી વેળાએ વિપરીત અસર થતા ઉલ્ટી, ઉબકા કરવા લાગતા બેભાન જેવી અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે હરીપર મેવાસામાં રહેતા ખેતીકામ કરતા ફોગા હીરાભાઇ વંશ (ઉ.વ.૬૫)એ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application