ખૂની હુમલાના કેસમાં જેલહવાલે થયેલા લોધેશ્વર સોસાયટીના યુવાનનું મોત

  • October 28, 2023 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના લોધેશ્વર સોસાયટીમાં રહેતા શખસે ત્રણ માસ પૂર્વે પોતાના વિસ્તારમાં રાત્રીના ત્રણ મહિલા સહિત ચાર લોકો પર છરી વડે હુમલો કર્યો હતો તેમજ રિક્ષામાં તોડફોડ કરી હતી. બાદમાં પોતે અગ્નિસ્નાન કર્યું હતું. આ મામલે આ શખસ સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર આપી બાદમાં તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો. દરમિયાન ત્રણ દિવસ પૂર્વે તેની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજરોજ તેનું મોત થયું છે. યુવાનના મોત અંગે તેના પરિવારજનોએ રોષ સાથે શંકા વ્યક્ત કરતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના પ્રયાસના ગુનામાં બંદીવાન કાચા કામના કેદી દિનેશ ઉર્ફેક કાળુ બાબુભાઈ ઝરીયા(પવાર)(ઉ.વ 23 રહે. લોધેશ્વર સોસાયટી શેરી નંબર 4) ની તબિયત બગડતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા યુવાનના પરિવારજનો અને તથા સગા સંબંધીઓ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દિનેશને અહીં હોસ્પિટલમાં દાખલ કયર્િ અંગેની જેલ કે પોલીસ તરફથી તેમને કોઈ જાણ કરવામાં આવી ન હતી. ત્રણ દિવસ બાદ તેના જામીન થવાના હોય તે પૂર્વે તેની સાથે આ ઘટના બનતા તેમણે શંકા વ્યક્ત કરી હતી. હોસ્પિટલે યુવાનના સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ જતા એક તબક્કે મામલો તંગ બની ગયો હતો જેથી પોલીસ પણ અહીં પહોંચી ગઈ હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 30 જુલાઈ ના રોજ દિનેશ ઉર્ફે કાળીયો અહીં લોધેશ્વર સોસાયટીમાં રાત્રિના બાઈક પુરપાટ ઝડપે લઈ નીકળતા આ બાબતે ઠપકો આપતા ત્રણ મહિલા સહિત ચાર પર છરી વડે હુમલો કર્યો હતો જે અંગે લોધેશ્વર સોસાયટી શેરી નંબર 7 માં રહેતા નિલેશ ઉર્ફે રાકેશ મનોજભાઈ સાગઠીયા (ઉ.વ 33) ની ફરિયાદ પરથી પોલીસે દિનેશ સામે હત્યાના પ્રયાસ સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

જોકે આ ઘટના બની ત્યારે પોલીસ અહીં પહોંચતા દિનેશે શરીર પર પેટ્રોલ છાંટી અગ્નીસ્નાન કરી લીધું હતું જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં એકાદ મહિના સુધી સારવાર અપાયા બાદ યુવાનને જેલહવાલે કરવામાં આવ્યો હતો. મૃતક યુવાનની પત્ની હાલ ગર્ભવતી હોય અને તેને આઠમો માસ ચાલતો હોવાનું જાણવા મળ્યું છે.યુવાનના પરિવારજનો દ્વારા કરાયેલા આક્ષેપ્ના પગલે પોલીસે યુવાનના મૃતદેહનું ફોરોન્સિક પીએમ કરાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application