યાત્રાધામ વીરપુર હાઇ-વે ઉપર કાર અકસ્માતમાં જૂનાગઢના યુવાનનું મોત

  • July 12, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર રોજિંદા અનેક નાના-મોટા અકસ્માતના બનાવો બને છે ત્યારે યાત્રાધામ વીરપુર પાસે મોડી રાત્રે એક કાર નું અકસ્માત થયું હતું જેમાં કારચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર વીરપુર નજીક વછરાજ હોટલની સામે મોડી રાત્રે કાર અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં કારચાલક રાજકોટથી જુનાગઢ તરફ કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પલટી મારીને કાર ડિવાઇડર પર ચડી જવા પામી હતી જેમાં ઘટના સ્થળે કાર ચાલક જુનાગઢનો યુવાન ભાવેશ મોડેદરા (ઉ.વ. ૨૭)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં જ વિરપુર પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો અને મૃતક ભાવેશના મૃતદેહને વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક ભાવેશ પરણિત હતો તેમને સંતાનમાં બે વર્ષની દીકરી અને પરિવારમાં માતા પિતા અને બે ભાઈમાથી સૌથી નાનો હતો નાની ઉંમરે અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમા ગમગીની છવાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application