રૈયારોડ પાસે મહિલાની પ્રેમીએ ઓશીકાથી મોં દબાવી હત્યા કરી

  • March 20, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સાધુ વાસવાણી રોડથી રૈયા ગામ તરફ જતા રોડ પર વંશુધરા શાળા પાસે આવેલી આવાસ યોજના કવાર્ટરમાં આજરોજ હત્યાનો બનાવ બનવા પામ્યો છે. અહીં મૈત્રી કરાર કરી રહેતા મહિલાની તેના જ પ્રેમીએ ઓશીકાથી મો દબાવી હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આરોપીને સકંજામા લઈ તેની સઘન પૂછતાછ શરૂ કરી છે. બંને વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઝઘડો ચાલતો હોય દરમિયાન ગઇકાલે વાસણ ધોવા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાટમાં હત્યા કરી નાખી હોવાનું માલુમ પડયું છે.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ રૈયાધાર વિસ્તારમાં રહેતી અને જેના પાંચેક માસથી સાધુ વાસવાણી રોડથી રૈયા રોડ પર રૈયા ગામ તરફ તુલસી સુપર માર્કેટ સામે આવેલી આરએમસીના આવાસ યોજના કવાર્ટરમાં રહેવા આવેલી ઇલાબેન મનસુખભાઈ સોલંકી(ઉ.વ ૩૫) નામની મહિલાની આજરોજ તેના કવાર્ટરમાં જ તેની સાથે મૈત્રી કરાર કરી રહેતા સંજય ભારથી ગોસાઈ હત્યા કરી નાખી હોવાનું બનાવ બન્યો હતો.


બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ આઈ.એન.રાઠોડ તથા સ્ટાફ થતા ડીસીપી સુધીરકુમાર દેસાઇ,એસીપી રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓ બનાવ સ્થળ દોડી ગયા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, ઇલાબેનના માવતર રૈયાધારમાં રહે છે.તેઓ પાંચ બહેનના પરિવરમાં વચેટ હતાં.ઇલાબેનના અગાઉ મનસુખ રામજી સોલંકી સાથે લગ્ન થયા હતા જે લગ્ન જીવન થકી તેમને ૧૩ વર્ષનો પુત્ર મિલન છે જે હાલ અહીં તેમની સાથે રહેતો હતો ઇલાબેનના પતિનું બે વર્ષ પૂર્વે કિડનીની બીમારી સબબ અવસાન થયું હતું. બાદમાં તેમણે મૂળ કેશોદના નવાગા ધેડના વતની અને હાલ રાજકોટમાં રહેતા સંજય શંકરલાલ ગોસાઈ સાથે મૈત્રી કરાર કર્યા હતા. સંજયના છૂટાછેડા થઈ ગયા હોવાનું અને તેને પ્રથમ પત્ની થકી સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. સંજય એમ્બ્યુલન્સનું ડ્રાઇવિંગ કામ કરે છે યારે મૃતક ઇલાબેન હોમકેરનું કામ કરતા હતા. એક વ્યવસાયમાં હોવાથી બંને વચ્ચે સંપર્ક થયો હતો બાદમાં પાંચેક મહિના પૂર્વે બંને મૈત્રી કરાર કર્યા હતા અને મૈત્રી કરાર કર્યા બાદ અહીં સંજયના કવાર્ટરમાં બંને સાથે રહેતા હતા.

આજરોજ સવારના ઇલાબેનની નાની બહેન પૂનમને તેમની સાથે જવાનું હોય પરંતુ ઇલાબેન ફોન ન ઉપાડતા તેને શંકા ગઈ હતી જેથી તે અહીં કવાર્ટરમાં આવી હતી. અને બાદમાં તેને આ બનાવ અંગેની જાણ થઈ હતી ત્યારબાદ તેને આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ અહીં પહોંચી ગયો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ વાત વધુ ઉગ્ર બનતા સંજય ઇલાનબેનનું ઓશિકાથી મો દબાવી હત્યા કરી નાખી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હત્યાની આ ઘટનાને લઇ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પીએસઆઇ બી.આર. ભરવાડ,હેડ કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા,વનરાજભાઇ લવાડીયા,મહિપાલસિંહ તથા ટીમે તપાસ હાથ ધરી હત્યાારા પતિ સંજયને તાકીદે સકંજામાં લઈ લીધો હતો પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે જેની પૂછતાછ બાદ હત્યા અંગેનું સચોટ કારણ માલુમ પડશે.
હત્યાની આ ઘટના અંગે એસીપી રાધિકાબેન ભારાઇ જણાવ્યું હતું કે, ઇલાબેન નામની આ મહિલાની હત્યા તે જેની સાથે મૈત્રી કરાર કરી રહી હતી. તે સંજય ગોસ્વામીએ કરી હતી. બંને વચ્ચે છેલ્લા થોડા દિવસોથી ખટરાગ ચાલતો હતો. દરમિયાન ગઈકાલ રાત્રિના વાસણ ધોવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયા બાદ વાત ઉગ્ર બની હતી. ત્યારબાદ સંજય ઇલાને મોઢે ઓશીકુ રાખી શ્વાસ ધિ નાખી હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી હોવાનું એસીપીએ જણાવ્યું હતું.


સંજયના છૂટાછેડા થઈ ચૂકયા છે, ઇલાના પતિ હયાત નથી
પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ઇલાબેનના મનસુખ રામજીભાઈ સોલંકી સાથે લગ્ન થયા હતા. બે વર્ષ પૂર્વે બિમારી સબક તેના પતિનું અવસાન થઈ ચૂકયું છે તેમને આ લજીવન થકી સંતાનમાં ૧૩ વર્ષનો પુત્ર મિલન છે. યારે તે તેમની સાથે મૈત્રી કરાર કરીને રહેતા હતા. તે સંજય ભારથી ગોસાઈ મૂળ કેશોદના નવાગામ ધેડ નો વતની હોય તેના છૂટાછેડા થઈ ચૂકયા છે અને લગ્ન જીવન થકી તેને સંતાનમાં બે પુત્રો છે.


પાડોશીએ કહ્યું સાંજે બંને વચ્ચે કોઇ માથાકૂટનો અણસાર ન હતો
બનાવ અંગે અહીં પાડોશમાં રહેતા મહિલાએ જણાવ્યું હતું કે, સાંજના સમયે ઇલાબેન અહીં કપડાં ધોવા માટે કવાર્ટર બહાર આવ્યા હતા તે સમયે તેનો પતિ સંજય પણ તેની સાથે હતો અને બંને વાતચીત કરતા હતા. ત્યારે બંને વચ્ચે કોઈ બાબતને લઈ ઝઘડો ચાલતો હોય તેવું જણાયું ન હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application