ખંભાળિયાના પીઢ સેવાભાવી તબીબ સ્વ. ડો. એન.ડી. ચોકસીની આજે પ્રાર્થનાસભા

  • June 20, 2024 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: ખંભાળિયાના જૂની પેઢીના જાણીતા સેવાભાવી તબીબ ડો. નવનીતભાઈ દેવચંદ ચોકસી (ડો. એન.ડી. ચોક્સી) (ઉ.વ. 94) તે ડો. પંકજભાઈ ચોકસી અને અમિતભાઈ તથા ડો. વિશાખાબેન (વડોદરા) ના પિતાશ્રી તેમજ કમલ બાબરીયા તથા ડો. અંજનીકુમારના સસરા, ડો. વિશ્વા, ડો. દેવાંશી, મેહુલ, માધવેન્દ્ર તથા ડો. વત્સલના દાદા તેમજ સૌમ્યા અને શરણ્યાના નાનાજી તારીખ 19 મીના રોજ અવસાન પામ્યા છે. ગત સાંજે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો, તબીબો વિગેરે જોડાયા હતા. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 20 ના રોજ સાંજે 5 થી 6 ભાઈઓ તથા બહેનો માટે અત્રે પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉનહોલ ખાતે રાખવામાં આવેલ છે.

ખંભાળિયા: અહીંના સોની વાલજીભાઈ હિરજીભાઈ વાયા (ઉ.વ. 82, મૂળ લાખાસર વાળા) તે મગનભાઈ નાનાભાઈ તથા ઉમેશભાઈના કાકા તેમજ રતનશીભાઈ લાલજીભાઈ ધકાણના જમાઈ તા. 17 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તારીખ 20 મીના રોજ સાંજે સાડા ચાર થી પાંચ ભાઈઓ તથા બહેનો માટે અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application