ટ્રાફિક નિયમનનું પાલન કરનારા નાગરિકોને નવરાત્રી મહોત્સવના વિના મૂલ્યે પાસનું વિતરણ કરાયું
જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગેના જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ટ્રાફિક નિયમનનું પાલન કરનારા નાગરિકોનું સન્માન કરવાના ભાગરૂપે નવરાત્રી મહોત્સવ ના વિના મૂલ્યે પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તારીખ ૨૬.૯.૨૪ ના રોજ જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પો.ઈ. આર. એલ.કંડોરીયા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા તેમજ હંસ ટેક્નોલોજી ઇન્ટરનેશનલના હાર્દિકભાઈ ઘેડિયા, કેયુરભાઈ ધોકિયા, રેડિયો જોકી મિલનભાઈ પાણખાણીયા અને તેમના સહયોગીઓ દ્વારા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિકના નિયમોનુ પાલન કરતા વાહનચાલકોને થનગનાટ વેલકમ નવરાત્રી મહોત્સવના પાસનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. તેમજ આવતીકાલે પણ ટ્રાફિકના નિયમોનુ પાલન કરતા વાહનચાલકોને નવરાત્રિના પાસનુ વિતરણ કરવામા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech