વાંસજાળીયામાં સપ્તાહના વિરામ બાદ ધોધમાર બે ઇંચ વરસાદ ખાબકયો

  • August 22, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમાણા અને શેઠ વડાળામાં વરસાદી ઝાપટાં


જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહના વિરામ બાદ જામજોધપુર પંથકમાં ગઈકાલે વરસાદી વાતાવરણ બંધાયેલું હતું, અને એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ જામજોધપુર તાલુકા ના વાંસજાળીયા ગામમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો હતો. જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૪૬ મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.


જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, અને સમાણા ગામમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો, ઉપરાંત શેઠવડાળા ગામમાં પણ છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જોકે જામજોધપુરના ગ્રામના પંથક સિવાય સમગ્ર જિલ્લામાં અન્યત્ર ક્યાંય વરસાદના વાવડ મળ્યા નથી.


છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ફરીથી ઉચકાયો છે, અને જામનગર શહેર અને જિલ્લામાં લઘુતમ તાપમાન ૨૭.૦ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૩૪.૦ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના ૧૫ થી ૨૦ કિ.મી. ની ઝડપે રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application