શાળાએ જવા નિકળેલી કિશોરીનું પાલીતાણાના શખ્સે અપહરણ કરી દુષ્કર્મ આચાર્યું

  • August 12, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ પાલીતાણાના જમણવાવ ગામનો  અને હાલ સુરત રહેતા શખ્સે શાળાએ જવા ઘરેથી નિકળેલી કિશોરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરતા પોલીસે શખ્સ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

કિશોરી ઘરેથી સ્કુલે જવા માટે નિકળી હતી ત્યારે મૂળ પાલીતાણા તાલુકાના જમણવાવ ગામનો  અને હાલ સુરત રહેતા રવી શાંતિભાઈ સરવૈયા નામના શખ્સે કિશોરીનું અપહરણ કરી તેને એક બંધ મકાનમાં લઈ ગયા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી બે વાર દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે કિશોરીના પરિવારજનોએ પાલીતાણ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રવિ શાંતિભાઈ સરવૈયા સામે દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ હેઠલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. કિશોરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ભારે ચકચાર મચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application