ખેડૂત ખરાઈ, રેકર્ડ ચકાસણીની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન

  • August 08, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યની ભુપેન્દ્ર પટેલની સરકાર મહેસૂલી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટ્રાચારને નાથવા વહીવટી પ્રક્રિયા માં આમૂલ પરિવર્તન લાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે જેના ભાગપે આવતા દિવસોમાં મોટા ફેરફારો કરવામાં આવશે મીણા કમિટીની ભલામણ ને કાયદામાં સુધારવાથી ઠરાવ અને પરિપત્રથી અમલમાં મુકવાનો નિર્ણય રાય સરકાર દ્રારા કરી દેવાયો છે.
ગુજરાતમાં મહેસૂલી તંત્રમાં ભ્રષ્ટ્રાચાર અને અરજદારોને થતી હેરાનગતિને નિવારવા રાય સરકાર વહિવટી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તનની તૈયારી કરી રહી છે. જેમાં ખેતીની જમીનને બિનખેતીમાં પાંતરણને તબક્કે અરજદાર પાસેથી સને ૧૯૫૦–૫૧થી જે રીતે ખેડૂત અને જમીન રેકર્ડ સંબંધિત પુરવા માંગવામાં આવે છે તેના બદલે હવે મે–૧૯૯૫ પછીના પુરાવા અને રેકર્ડ ચકાસણીની પ્રક્રિયા વ્યવસ્થાઓ અમલમાં મુકવા સરકારે વિચારણા હાથ ધરી છે. સંભવત: એકાદ મહિનામાં તેની સત્તાવાર૫ણે જાહેરાત થશે તેમ જાણવા મળ્યું છે.
બિનખેતી પાંતરણની સત્તા પંચાયતી રાજની સંસ્થા પાસેથી મહેસૂલી તંત્રને હસ્તગત કર્યા પછી, પ્રક્રિયાને ઓનલાઈન કર્યા પછી પણ મોટાપાયે રેકર્ડ ચકાસણી, ખેડૂત ખરાઈ એ બે મુખ્ય મુદા પર ભ્રષ્ટ્રાચાર, વિલબં અને કનડગત યથાવત છે. આ તમામ પરિબળો સામે રિટાર્યડ આઈએએસ અધિકારી મીણાની અધ્યક્ષતામા રચાયેલી કમિટીનું કહેવું છે. મહેસૂલી કાયદા અને વહિવટી પ્રક્રિયા સુધારણા માટે ઓકટોબર–૨૦૨૩માં રચાયેલી કમિટીની ભલામણો પર સરકારે પેટા કમિટી રચીને તેના તબક્કાવાર અમલ માટે કાયદામાં સુધારાથી ઠરાવથી અને પરિપત્રથી એમ ત્રણ સ્તરની શકયતા ચકસવા માટે અભ્યાસ સોંપ્યો છે. જેમાં ખેતીની જમીનને બિનખેતીમાં પાંતરણ કરવાને તબક્કે હાલમાં જે રીતે ૧૯૫૦–૫૧થી ખેડૂત ખરાઈ અને જમીનનું રેકર્ડ ચકસણીના નામે જે રીતે મામલતદારથી લઈને પ્રાંત અને કલેકટર સુધીના તંત્રમાં ભ્રષ્ટ્રાચારને ઉત્તેજન મળે તેનો અતં લાવવા ફોમ્ર્યુલા નક્કી થઈ છે.
ગુજરાતમાં આઠ કિલોમીટરની ત્રિયામાં જ ખેતીની વર્ષ ૧૯૯૫ પહેલાં જમીન ખરીદી શકાય તેવો નિયમ હતો. એથી ત્યાં સુધી તો રાયમાં જમીન– મહેસૂલ, ખેડૂત રેકર્ડમાં ખાસ કોઈ ઉથલપાથલો થઈ નથી. આઠમી મે–૧૯૯૫ના રોજ આ નિયમ રદ્દ કરીને ખેડૂત રાયમાં ગમે ત્યાં જમીન ધારણ કરી શકે છે તે નિયમ અમલમાં છે. એથી, એ કટ ઓફ બને છે. પરંતુ, તે પહેલાનું રેકર્ડ, ખેડૂત ખરાઈ એ ડેટ પછીનું રેકર્ડ અને ખેડૂતનો દરો ચકાસવો જરી બિનખેતીના પ્રકરણોમાં વિલબં અને ભ્રષ્ટ્રાચારને ઉત્તેજનપ હોવાથી છેક સને ૧૯૫૧થી ઈતિહાસ ઉલેચવાનું બધં કરવું અનિવાર્ય છે.  આ મુદે મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન તૈયાર કરીને નિર્ણયાર્થે પાઠવવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે ટૂંક સમયમાં નિર્ણય થશે.બિન ખેતીની પ્રક્રિયામાં શહેરી વિસ્તારમાં કુલ ક્ષેત્રફળ ના ૪૦% કાપીને ૬૦ ટકા જમીન પર આકારને આધારે પાંતર કર અને પ્રીમિયમ ની ગણતરી થાય છે ગ્રામીણ વિસ્તારમાં યાં કોઈ શહેરી કે ઔધોગિક ટાઉન પ્લાનિંગ થતું નથી ત્યાં પણ ડેવલપર ને આવી કપાતનો લાભ આપવા સરકારે વિચારણા કરી રહી છે. કાપીને પાંતર, પ્રીમિયમ લેવાશે હાલમાં યાં ટાઉન ચૂકયું હોય કે તેનો ઈરાદો જાહેર થયો હોય કે શહેરી સત્તા મંડળ હેઠળનો વિસ્તાર હોય ત્યાં બિનખેતીના તબક્કે અરજદારના પ્લોટના કુલ ક્ષેત્રફળના ટકા ક્ષેત્રફળ આકારને આધારે પાંતર કર અને પ્રિમિયમની ગણતરી થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં કે યાં કોઈ શહેરી કે ઔધોગિક ટાઉન પ્લાનિંગ થતું નથી ત્યાં પણ ડેવલપર્સને આવો કપાત લાભ આપવા સરકાર વિચારણા કરી રહી છે. જેમાં બિનખેતી હેઠળ આવતા પ્લોટમાં ૧૦ ટકા કપાત ગણીને બાકીના ૯૦ ટકા ક્ષેત્રફળને આધારે પ્રિમિયમ, પાંતર કર વસૂલવા રિટાયર્ડ આઈએએસ મીણા કમિટીનો પ્રસ્તાવ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application