રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં આઠ હજાર આયુષ્માન કાર્ડ કાઢી નવો રેકોર્ડ

  • September 19, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દભાઇ મોદીના જન્મદિને તા.૧૭ના રવિવારે આરોગ્યભવ: અન્વયે એક જ દિવસમાં આશરે આઠ હજાર આયુષ્માન કાર્ડ કાઢીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવનાર જિલ્લો બન્યો છે.જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં તા. ૧૭ના રાત્રે ૯ વાગ્યા સુધીમાં કુલ ૨૦,૦૧૬ આયુષ્માન કાર્ડ બનેલા છે. જેમાંથી ૮૦૦૦ કાર્ડ તો માત્ર રાજકોટ જિલ્લા દ્રારા જ કાઢવામાં આવેલા છે. જેથી કુલ એનરોલમેન્ટના ૪૦% કાર્ડ માત્ર રાજકોટ જિલ્લા દ્રારા કાઢવામાં આવેલા છે.જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર નિલેશ રાઠોડે આરોગ્ય વિભાગના કર્મચારીઓને અભિનંદન આપતા જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજના શરૂ થયેથી. આજ દિન સુધીનો આ હાઇએસ્ટ રેકોર્ડ છે. જે રાજકોટ જિલ્લા માટે ગર્વની વાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application