ધો.9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નવી તક: 29 જૂન સુધીમાં પુન: પરીક્ષા

  • June 15, 2024 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિક્ષણના નવા નિયમ અનુસાર ધોરણ 9 અને 11 માં નપાસ થયેલા વિદ્યાર્થીઓની 29 જૂન સુધીમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે. વર્ગબઢતીના સુધારેલા નિયમોની જોગવાઈ અનુસાર શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરેલા નિયમ મુજબ ધોરણ 9 અને ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નવી તક ઊભી થશે જેમાં શાળા કક્ષાએ ફરી વખત પરીક્ષા 29 જૂન શનિવાર સુધીમાં લેવાની રહેશે.

આ પરીક્ષાના પરિણામના આધારે વિદ્યાર્થીઓને વર્ગ પદ્ધતિ આપવાની રહેશે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ બાબતે તાકીદ કરી હતી.
જે વિદ્યાર્થીઓ ધોરણ નવ અને ધોરણ 11 માં નપાસ થયા છે તેમને ત્યાર પછીના શૈક્ષણિક વર્ષની શરૂઆતના 15 દિવસમાં જ આ પુન: પરીક્ષા લેવાની રહેશે આ માટેના અમુક નિયમો બનાવવામાં આવ્યા છે રાષ્ટ્રીય શિક્ષણનીતિના અનુસંધાને ધોરણ નવ અને ધોરણ 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પુન: પરીક્ષા લેવાની જોગવાઈ ઉભી કરવામાં આવી છે જેના માટે બોર્ડની શૈક્ષણિક સમિતિ ના ઠરાવ માં પણ આ નિર્ણય કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application