ભગીરથ સોસાયટીમાં હાર્ટઅટેકથી આધેડનું મોત

  • May 10, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં હાર્ટ અટેકથી મોત થવાના બનાવ દરરોજ વધી રહ્યા છે, આજે વધુ એક આધેડનું દયથંભી ગયાનો બનાવ નોધાયો છે.
પ્રા વિગત મુજબ સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા ધીભાઈ ખોડાભાઈ પાનસુરીયા (ઉ.વ.૫૨) નામના આધેડ રાત્રીના સુતા બાદ સવારે પરિવારજનો જગાડવા જતા જાગતા ન હોવાથી બેભાન હાલતમાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના પો.કોન્સ.તોફીકભાઈ જુણાચે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસએ હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ બહેન બે ભાઇમાં નાના અને અપરણિત હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
બીજા બનાવમાં વિરાણી હાઈસ્કૂલ પાછળ સર્વેાદય સોસાયટી શેરી નં–૫માં રહેતા મહેશભાઈ વેલજીભાઇ સોલંકી (ઉ.વ.૩૬) નામના યુવક સવારે જાગ્યા બાદ બાથમમાંથી નીકળી મમાં જતા હતા ત્યારે ઓસરીમાં ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાતા ત્યાં નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ.ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરી કાગળો કર્યા હતા. મૃતક ચાર બહેન ત્રણ ભાઇમાં નાના હતા અને કેટલાક સમયથી બીમાર રહેતા હતા. યુવકનું મોત બીમારીથી થયું છે કે હાર્ટ એટેકથી જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application