રોજ નાસ્તામાં કરો ફણગાવેલા મગનું સેવન, મળશે આ અદ્ભુત ફાયદા

  • May 20, 2024 11:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફણગાવેલા મગના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મગમાં પોષણનો ખજાનો છુપાયેલો છે. જો આખા મગને અંકુરિત કરીને ખાવામાં આવે તો તેના ગુણો અનેકગણા વધી જાય છે. તમે રોજ નાસ્તામાં અંકુરિત મગનું સેવન કરી શકો છો. આ ખાવાથી શરીરને ઘણા સારા ફાયદા મળવા લાગશે. 

ફણગાવેલા મગમાં ફાયબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનતંત્રને સરળ રીતે ચલાવવામાં મદદ કરે છે. તે કબજિયાત અને પેટ ફૂલવું જેવી પાચન સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે. ફણગાવેલા મગ એ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટનો સારો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓથી બચાવવામાં પણ મદદરૂપ છે.

ફણગાવેલા મગમાં કેલેરી અને ચરબી ઓછી હોય છે, જ્યારે પ્રોટીન અને ફાઈબર વધુ હોય છે. તે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, વજન ઘટાડવાનું સરળ બનાવે છે. ફણગાવેલા મગમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ના સ્તરને ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલ (HDL) ના સ્તરને વધારવામાં પણ મદદરૂપ છે.

ફણગાવેલા મગમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેનો અર્થ છે કે તે લોહીમાં શર્કરાનું સ્તર ધીમે ધીમે વધારે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કારણ કે તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી હાડકાંને મજબૂત બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application