અકસ્માત નિવારવા ક્યાં ક્યાં પ્રકારના પગલા લઇ શકાય ? તે અંગે થઇ ચચર્-વિચારણા
જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ અંગેની બેઠક યોજાઈ હતી. મોટર વાહન અને અન્ય વાહનો દ્વારા થતા માર્ગ અકસ્માતો નિવારવા માટે ક્યા-ક્યા પ્રકારના પગલાં લઈ શકાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં વિધાર્થીઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અંગેની જનજાગૃતિ લાવવી, હાઇવે પર બ્લેક સ્પોટ આઇન્ડેટીફીકેશનની કામગીરી, રસ્તા પરથી ભયજનક સ્પીડબ્રેકર્સ અને બેરિકેડ્સ હટાવવા, જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો પર ચેકીંગની કામગીરી કરવી, માર્ગ અકસ્માતો નિવારવા માટે રોડ સેફટી સર્વે હાથ ધરવા, રોડ રીપેરીંગ કરતી વખતે ડાયવર્ઝન માટેના પાટિયા યોગ્ય સ્થળે મુકાવવા, ભારે વાહનો ચલાવતા વાહનચાલકો માટે ટ્રેનિંગ સેશનનું આયોજન, અકસ્માતોની તપાસ માટે હાઇવે પર સી. સી. ટી. વી. કેમેરા લગાવવા, ઓવર સ્પિડીંગ કરતા વાહનો સામે પઝીરો ટોલરન્સથ ની નીતિ અપનાવવી, હાઇવે પર સ્પીડબ્રેકર્સ અને સ્પીડ માટેના સાઈન બોર્ડ મુકાવવા સહિતની ચચર્ઓિ કરવામાં આવી હતી. અને વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન બનાવવમાં આવશે. જેથી રોડ રીપેરીંગના સમયે અકસ્માતો નિવારી શકાય. જીવલેણ અકસ્માતો અને કુદરતી આફત સર્જાય, ત્યારે તે સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની કામગીરી મજબૂત કરવા માટે રિપોર્ટિંગ પ્રક્રિયાને મજબૂત કરવામાં આવશે.
ઉપરોક્ત બેઠકમાં, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે. કે. ઉપાધ્યાય, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એસ. આર. કટારમલ, કે. બી. છૈયા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech