કાલે ગાંધીનગરમાં ભાજપના વર્તમાન–જૂના જોગીઓની પાટીલે બોલાવી બેઠક

  • October 07, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં રાજકીય નવાજૂનીના એંધાણ વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામા રવિવારની રજાના દિવસા રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી આ બેઠકમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2001માં ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા આ 23 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. તમામ વિધાનસભા ક્ષેત્રમાં ઉજવણી કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે ભાજપ્ના અધ્યક્ષ સી. આર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળી રહી છે.
ધારાસભ્યોની સ્નેહ મિલન કાર્યક્રમ સાથે ભોજનનીઆ બેઠક બાદ શું થશે તેની ચચર્િ એ જોર પકડ્યું છે સરકારના મંત્રી ધારાસભ્યો સાંસદો અને પ્રદેશ નેતાઓ સહિતના આગેવાનોને આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ બેઠકમાં ગત મહિને શરૂ થયેલા સદસ્યતા અભિયાનને લઈને પણ મહત્વની ચચર્ઓિ કરવામાં આવશે ગત બીજી સપ્ટેમ્બર ના રોજ રાજ્ય સહિત દેશમા ભાજપ એ સદસ્યતા અભિયાન ની શરૂઆત થઈ હતી ગુજરાતમાં છ વર્ષ અગાઉ 1.19 કરોડ સભ્યોની નોંધ થઈ હતી આ સદસ્યતા અભિયાન માટે બે કરોડનો લક્ષ્યાંક પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા મૂકવામાં આવ્યો હતો સપ્ટેમ્બરના અંત સુધી 70 થી 72 લાખ સભ્યોની નોંધણી થઈ હતી પહેલી ઓક્ટોબરથી આ અભિયાન ફરી આગળ વધારવામાં આવ્યું છે જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. અભિયાનમાં વધુ માં વધુ 18 થી 20 લાખ નવા સભ્યો ઉમેરાયા છે આમ રવિવારે સાંજ સુધીમાં 95 લાખ સુધી સભ્યો નોંધાયા હોવાની સંભાવના જોવામાં આવી રહી છે ટૂંકમાં કહીએ તો આ લક્ષ્યાંક હજુ અડધું પણ પૂર્ણ થયુ નથી જેને લઈને વધુ સભ્યો બનાવવા માટે ધારાસભ્યોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. નિર્ધિરિત લક્ષ્યાંક કરતા 50 ટકા પણ સભ્ય સંખ્યા થઈ નથી એ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતા નો વિષય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application