જામનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનો તેણીના સાસરીયાઓના ત્રાસથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ

  • September 23, 2023 01:48 PM 

પોલીસે યુવતીના નિવેદનના આધારે તેણીના શ્વસુર પક્ષના છ સભ્યો સામે સ્ત્રી અત્યાચારધારા હેઠળ ગુન્હો નોંધ્યો



જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા પછી તેણીના શ્વસુર પક્ષના સભ્યોએ ઘરમાંથી હાંકી કાઢતાં ઝેરી દવા પી લીધી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે તેણીના નિવેદનના આધારે છ સભ્યો સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.


આ બનાવની વિગત એવી છે કે મૂળ જામનગરમાં વાણંદ શેરી વિસ્તારમાં રહેતી અને ગોકુલ નગર રોડ વિસ્તારમાં પરણાવેલી ક્રિષ્નાબેન હેમરાજભાઈ કેસરિયા નામની ૧૯ વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના માવતરે આવ્યા પછી ઘઉં માં નાખવાની ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને હાલ તેની તબિયતમાં સુધારો છે.


આ બનાવ ને મહિલા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે. એન. જાડેજાએ ક્રિષ્નાબેન નું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેણીએ જણાવ્યું હતું કે પોતે પ્રેમ લગ્ન કર્યા હતા, જે પ્રેમ લગ્ન સાસુ સસરા સહિતના સાસરીયાઓને ગમ્યું ન હોવાથી ત્રાસ આપતા હતા, અને પોતાના પતિને પણ ચડામણી કરીને આખરે ઘરમાંથી પહેરેલા કપડે કઢાવી મૂકી હતી.


તેથી તેણે પોતાના માવતરે આવીને આપઘાત નો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું. આ બનાવ બાદ પોલીસ દ્વારા ક્રિષ્નાબેન ની ફરિયાદ ના આધારે તેણીના પતિ હેમરાજ પ્રતાપભાઈ કેસરિયા, સરસ,પ્રતાપભાઈ કેસરિયા, સાસુ સમજુ બેન, જેઠ કેતનભાઇ તથા મેહુલભાઈ, અને જેઠાણી હેતલબેન સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application