કર્ણાટકના દહેજ ઉત્પીડન કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વી ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે સાસરિયાઓનું થોડું ખરાબ વર્તન ક્રૂરતા નથી . કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતુ કે, સાસરિયામાં છોકરી સાથે ખરાબ વ્યવહારના કેસને દહેજ ઉત્પીડન કહી શકાય નહીં. ખંડપીઠે કહ્યું હતું કે જો ફરિયાદીના લ જીવનમાં દખલગીરીના કોઈ ફિઝિકલ પુરાવા નથી તો આરોપીને આઈપીસીની કલમ ૪૯૮એ હેઠળ ક્રૂરતા માટે દોષી ઠેરવી શકાય નહીં. જસ્ટિસ સંજીવ ખન્નાએ તાજેતરના આદેશમાં આ સ્પષ્ટ્ર કર્યુ હતું.
કોર્ટ કર્ણાટકની એક મહિલાની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેના પર તેની નવવિવાહિત ભાભીએ અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને તેનો અંગત સામાન ડસ્ટબિનમાં ફેંકવાનો આરોપ મૂકયો હતો. નોંધનીય છે કે કલમ ૪૯૮એ મુજબ, જે કોઈ પણ ક્રીનો પતિ અથવા તેના પતિના સંબંધી હોવાને કારણે આવી ક્રી સાથે ક્રૂરતા કરશે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દડં ફટકારવામાં આવે છે. જો કે, બેન્ચને જાણવા મળ્યું કે આરોપી મહિલા તેની ભાભી સાથે એક જ ઘરમાં રહેતી નહોતી. વાસ્તવમાં મહિલા વિદેશમા રહેતી હતી. કોર્ટને જાણવા મળ્યું કે ભાઈની પત્નીએ મહિલા દ્રારા તેના પર કરવામાં આવેલી ક્રૂરતાની કોઈ ચોક્કસ વિગતો આપી નથી. બેન્ચે કહ્યું કે મહિલાના ભાઈએ ૨૦૨૨માં જ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. તેમની ભાભીના તેમના પરના આક્ષેપો ખૂબ જ અસ્પષ્ટ્ર અને સામાન્ય હતા.
કોર્ટે આદેશ આપ્યો હતો કે અમે અપીલકર્તાઓ વિદ્ધ ફોજદારી કાર્યવાહીને રદ કરીએ છીએ. જો કે, અમે સ્પષ્ટ્રતા કરીએ છીએ કે પુરાવાના રેકોડિગ દરમિયાન જો કોઈ સામગ્રી રેકોર્ડ પર આવે છે તો તે ટ્રાયલ કોર્ટ માટે કાયદા મુજબ આગળ વધી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech