રાજકોટમાં કોઠારીયા રેલવે સ્ટેશન પાસે હરિદ્રાર સોસાયટીમાં રહેતા મૂળ વિસાવદરના માંડાવડ ગામના વતની ભકિતરામભાઇ નિમાવત(ઉ.વ ૪૫) નામના આધેડની આજ વિસ્તારમાં રહેતા શખસે ગઈકાલ રાત્રિના છાતીમાં તિક્ષણ હથિયારનો જીવલેણ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. હત્યાના આ બનાવને લઇ આજીડેમ પોલીસે તાકીદે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં હત્યારા રામજી મકવાણાને ઝડપી લીધો હતો. મૃતક આરોપીની પત્ની સાથે મોબાઇલમાં મેસેજથી વાત કરતો હોય જે બાબતે એક માસ પૂર્વે માથાકૂટ થઈ હતી. બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું. દરમિયાન આ વાતનો ખાર રાખી ગઈકાલે આરોપીએ આધેડ ઓફિસે હતા ત્યારે તેના પર છરી વડે હત્પમલો કરી હત્યા નીપજાવી હતી. જે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ વિસાવદરના માંડાવડ ગામના વતની અને હાલ રાજકોટમાં કોઠારીયા રેલવે સ્ટેશન પાસે હરિદ્રાર સોસાયટી–૧ શેરી નંબર ૨ માં રહેતા અને પાણી સપ્લાયનું કામ કરનાર ભકિતરામભાઈ મગનલાલ નિમાવત (ઉ.વ ૪૫) નામના આધેડને ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યે આસપાસ અહીં ગણેશ પાર્ક ૨ માં કિશોરભાઈ હિરાણીની ઓફિસ હતા અને કિશોરભાઈ પણ અહીં હાજર હોય દરમિયાન રાત્રિના આઠેક વાગ્યે આસપાસ ગણેશ પાર્ક ૨ માં રહેતો રામજી મંગાભાઈ મકવાણા અહીં ધસી આવ્યો હતો અને કોઈ વાત કર્યા વગર સીધો જ ભકિતરામભાઈ પર હત્પમલો કરી તેને છાતીના ભાગે તીક્ષણ હથિયારનો ઘા ઝીંકી દીધો હતો. કિશોરભાઈ રામજીભાઈને પકડવા જતા તે અહીંથી નાસી ગયો હતો બાદમાં હત્પમલામાં ઘવાયેલા ભકિતરામભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં તેમના બનેવી તુષારભાઈ લઈ ગયા હતા. પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે છે ભકિતરામભાઈએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે મૃતક ભકિતરામભાઈના પત્ની ઇલાબેન (ઉ.વ ૨૯) દ્રારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગણેશ પાર્ક–૨ માં રહેતા રામજી મંગાભાઈ મકવાણાનું નામ આપ્યું હતું. ઇલાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ ભકિતરામભાઈ ચાર ભાઈ તથા ચાર બહેનના પરિવારમાં વચેટ હતા. ભકિતરામ ભાઈને સંતાનમાં નવ વર્ષનો પુત્ર સંસ્કાર છે.ભકિતરામા ભાઇ હાલ પાણી સપ્લાયનું કામ કરતા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગણેશ પાર્ક–૨ માં રહેતા રામજી મકવાણાની પત્ની રીટા ફરિયાદીના પતિ ભકિતરામભાઈ સાથે મોબાઈલ ફોનમાં મેસેજ કરી વાત કરતા હોય જે બાબતે એક મહિના પહેલા રામજી તથા તેની પત્ની રીટા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. બાદમાં આ મહિલાને પતિ સાથે કોઈ સંબધં નહીં રાખવા સમજાવી હતી અને જે તે સમયે આ બાબતે સમાધાન પણ થઈ ગયું હતું. દરમિયાન ગઈકાલ ફરિયાદીના પતિ ભકિતરામભાઈ અહીં કિશોરભાઈની ઓફિસે શેટી પર સુતા હતા દરમિયાન આરોપી રામજી અહી ધસી આવી તિક્ષણ હથિયાર વડે જીવલેણ હત્પમલો કર્યેા હતો.બનાવ અંગે આજીડેમ પોલીસે રામજી મકવાણા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.હત્યાના આ બનાવને લઈ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરી હેઠળ રાઇટર લમણ મકવાણા અને મેભા ઝાલા સહિતના સ્ટાફે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી આરોપી રામજી મંગાભાઈ મકવાણાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપી સેન્ટ્રીંગનું કામ કરતો હોવાનું માલુમ પડયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારના 11 કરોડના અનુદાન સહિત કુલ રૂ.35 કરોડના ખર્ચે નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું ખાતમુહૂર્ત
September 21, 2024 08:20 PMતિરુપતિ લાડુમાં 'અમૂલ' ઘીના ઉપયોગની અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી, 7 લોકો સામે FIR
September 21, 2024 06:23 PMસિક્કા નગરપાલિકા ખાતે ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
September 21, 2024 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech