તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં વપરાતું ઘી નબળી ગુણવત્તાનું અને 'અમૂલ' બ્રાન્ડનું છે તેવી અફવા ફેલાવવા બદલ 7 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'ના સાત યુઝર્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે રાજ્યમાં અગાઉની સરકાર દરમિયાન તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવામાં પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે પછી એક મોટો રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે.આણંદ સ્થિત ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એ મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ઘી સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હતો.
સાયબર ક્રાઈમ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે એફઆઈઆર મુજબ, સાત 'એક્સ' યુઝર્સે જીસીએમએમએફની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ખોટી માહિતી ફેલાવી કે તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવામાં પશુઓની ચરબીનો ઉપયોગ ઘીમાં મળી આવ્યો તે અમૂલ' બ્રાન્ડનું ઘી હતું
એફઆઈઆર મુજબ, આરોપીઓએ એવી અફવા ફેલાવી હતી કે 'અમૂલ' બ્રાન્ડના ઘીનો ઉપયોગ લાડુ બનાવવા માટે કરવામાં આવ્યો હતો, જે પાછળથી તિરુપતિ મંદિરમાં 'પ્રસાદ' તરીકે વહેંચવામાં આવ્યો હતો, જેનાથી સહકારી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું . આ એફઆઈઆર અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતાની કલમ અનુસાર પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અને ધર્મ, જાતિ વગેરેના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
GCMMF એ શુક્રવારે રાત્રે તેના 'X' એકાઉન્ટ પર સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે તેણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ક્યારેય 'અમૂલ' ઘી સપ્લાય કર્યું નથી.અને કહેવામાં આવ્યું છે કે, "અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે 'અમૂલ' ઘી અમારી અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓમાં દૂધમાંથી બનાવવામાં આવે છે, જે ISO-પ્રમાણિત છે. 'અમૂલ' ઘી ઉચ્ચ ગુણવત્તાની શુદ્ધ દૂધની મલાઈમાંથી બનાવવામાં આવે છે... આ પોસ્ટ 'અમૂલ' વિરુદ્ધની ખોટી માહિતી રોકવા માટે જારી કરવામાં આવી રહી છે.
GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે કે તિરુપતિ મંદિરમાં વપરાતું નબળી ગુણવત્તાનું ઘી અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું. મહેતાએ કહ્યું કે, "સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને અમારા વિશે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે એફઆઈઆર નોંધી છે." અને મહેતાએ દાવો કર્યો, "અમે ક્યારેય તિરુપતિમંદિરમાં ઘી સપ્લાય કર્યું નથી’’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારના 11 કરોડના અનુદાન સહિત કુલ રૂ.35 કરોડના ખર્ચે નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું ખાતમુહૂર્ત
September 21, 2024 08:20 PMતિરુપતિ લાડુમાં 'અમૂલ' ઘીના ઉપયોગની અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી, 7 લોકો સામે FIR
September 21, 2024 06:23 PMસિક્કા નગરપાલિકા ખાતે ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
September 21, 2024 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech