ગોકુલનગરમાં ગળાફાંસો ખાઇ યુવતિએ જીવતર ટુંકાવ્યુ

  • March 05, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારણસર પગલુ ભર્યુ : પરિવારમાં શોકની લાગણી

જામનગરના ગોકુલનગરમાં આવેલ સિઘ્ધાર્થનગરમાં રહેતી યુવતિએ કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ છે.
ગોકુલનગરના સિઘ્ધાર્થનગરમાં રહેતા હેતલબેન હિતેશભાઇ મણવર (ઉ.વ.૩૨) નામની યુવતિએ ગઇકાલે કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરે ચુંદડી વડે પંખાના હુંકમાં ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે નહે‚નગરમાં રહેતા કેશવભાઇ રાઠોડ દ્વારા સીટી-સીમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ પાછળનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.
***
હૃદયરોગના હુમલાએ ઓખામાં આધેડનો ભોગ લીધો

ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રહીશ લક્ષ્મણભાઈ ઉકાભાઈ ટંડેલ નામના ૫૬ વર્ષના માછીમાર પ્રૌઢ રવિવારે બપોર બાદ જમીને સુતા હતા, ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ ચેતનભાઈ સોમાભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application