ધ્રોલ સીમમાં ઝેરી દવા ગટગટાવી પરિણીતાનો આપઘાત
જામનગરના ધરારનગરમાં એક યુવતિએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇને જીવતર ટુંકાવી લીધુ હતું, જયારે મોરકંડા પાટીયા પાસે પરિણીતાએ પતિ સાથેના ઝઘડા બાબતનું મનમાં લાગી આવતા ધ્રોલ વાડી વિસ્તારમાં ઝેર દવા પી ને મોત મીઠુ કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
જામનગરના ધરારનગર-૨, પાવર હાઉસ પાસે રહેતી હીરલબેન ભરતભાઇ જોગીયાણી (ઉ.વ.૨૦) નામની યુવતિએ ગઇકાલે કોઇપણ અગમ્ય કારણસર પોતાના ઘરે છતના પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી, આથી ટીમ દોડી આવી હતી અને સ્ટાફે જોઇ તપાસી મરણગયાનું જણાવ્યુ હતું.
આ અંગે ધરારનગરમાં રહેતા ચોકીદાર ભરત બાબુભાઇ જોગીયાણીએ સીટી-બીમાં જાણ કરતા પોલીસ દ્વારા બનાવ પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી હતી, યુવતિના આપઘાતથી શોકની લાગણી છવાઇ જવા પામી છે.
બીજા બનાવમાં જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે ૩૮-વેલનાથ ખાતે રહેતી મનિષાબેન હમીરભાઇ મેથાણીયા (ઉ.વ.૨૬) નામની પરિણીતાને પતિ સાથે અવાર નવાર ઝઘડો થતો હોય જે બાબતે તેણીને મનમાં લાગી આવતા ગઇકાલે ધ્રોલના નથુવડલા વાડીએ ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં લાવતા તેણીનું મૃત્યુ થયુ હતું, આ બનાવ અંગે હમીર રમેશભાઇ મેથાણીયાએ ધ્રોલ પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech