કાલાવડ નજીક મુરીલા પાસે કપાસ અને નીરણ ભરેલા ગોદામમાં આગ

  • August 28, 2023 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી

કાલાવડ તાલુકાના મુરીલા ગામમાં એક ખેડૂતના ગોદામમાં રાખેલા કપાસના જથ્થા તેમજ નિરણના જથ્થામાં આગ લાગી હતી, અને ૧૨૦૦૦ લીટર પાણીનો મારો ચલાવી આગને બુજાવી હતી.
કાલાવડ તાલુકાના મુરીલા ગામમાં એક ખેડૂત દ્વારા પોતાની વાડી નજીક બનાવવામાં આવેલા ગોદામમાં પશુઓ માટે નિરણનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તેમજ તૈયાર કપાસનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો. ત્યાં કોઈ કારણસર આગ લાગી હતી અને કપાસ અને નિરાણનો જથ્થો સળગવા લાગ્યો હતો.
 જે આગ ના બનાવ અંગે કાલાવડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં કાલાવડ ફાયરની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આશરે ૧૨ હજાર લિટર જેટલો પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જેથી સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application