પાલીતાણા ડુંગર વિસ્તારમાં વિકરાળ આગ ભભૂકી

  • March 20, 2024 09:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં મોટાભાગનો વિસ્તાર ડુંગર વિસ્તાર છે. અને જંગલ જેવું આવેલું છે. ત્યારે પાલીતાણા તાલુકાના હાથસણી ગામે આવેલા હાથસણીના ડુંગરની વચ્ચેના ગાળામાં આવેલ સૂકા ઘાસમાં કોઈ કારણોસર આગની ઘટના બની હતી. જે આગ પવનની સાથે સૂકા ઘાસમાં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જ્યારે ડુંગરની વચમાં આ આગ લાગવાથી ત્યાં સુધી ફાયર ફાઈટર પહોંચે તેવી સુવિધા ન હોવાથી મોડી રાત્રી સુધી આગ કાબૂમાં આવી ન હતી. આ વિસ્તારમાં સિંહ સહિતના પશુ વસવાટ કરે છે. તેવામાં આગના બનાવથી પશુઓને નુકશાની પહોંચી શકે છે. બનાવની જાણ થતા વન વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું. આ આગને બુઝાવવા સ્થાનિકો અને તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ઉલેખનીય છે કે, પાલીતાણાની આજુબાજુના વિસ્તારોમાં ડુંગરો મોટા પ્રમાણમાં છે. ત્યારે દર વર્ષે ડુંગરોમાં આગની ઘટના બનતી હોય છે. ત્યારે કોઈ મોટી જાનહાની થાય કે પશુ પક્ષીઓને નુકશાની પહોંચે તે પહેલા સરસાધન વસાવવા લોકમાંગ ઉઠી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application