જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના ખેડૂતને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતાં અપમૃત્યુ

  • May 03, 2023 10:47 AM 

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના એક ખેડૂતને પોતાની વાડીએ વિજ આંચકો લાગ્યો હતો, અને તેમનું મૃત્યુ થયું છે. જે મામલે શેઠ વડાળા પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા યોગેન્દ્રસિંહ મધુભા જાડેજા નામના ૫૭ વર્ષના ખેડૂત, કે જેઓ ગઈકાલે પોતાની વાડીમાં કામ કરતા હતા, જે દરમિયાન તેઓને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સંજયસિંહ મધુભા જાડેજા એ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application