જામ-ખંભાળિયામાં જાણીતા જ્યોતિષ શાસ્ત્રીજી પ્રભુનો દિવ્ય દરબાર યોજાયો

  • December 26, 2023 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

વિશ્વ વિખ્યાત શાસ્ત્રીજી શ્રી પ્રભુનો દિવ્ય લોક દરબાર તાજેતરમાં ખંભાળિયા ખાતે યોજવામાં આવ્યો હતો.
ખંભાળિયાના ભગવતી હોલ ખાતે યોજવામાં આવેલા આ વિના મૂલ્યે દિવ્ય દરબારમાં ત્રિકાલદર્શી શાસ્ત્રીજી પ્રભુ દ્વારા ખંભાળિયા શહેર તથા આસપાસના લોકોને સાંભળી અને તેમને મૂંઝવતા પ્રશ્નોનું સરળ અને સુખરૂપ નિવારણ લાવવા માટે જરૂરી સલાહ - સૂચનો આપ્યા હતા. જેને જાણીને સૌ કોઈ રાહતની લાગણી સાથે શાસ્ત્રીજી પ્રભુની આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અહીંના બ્રહ્મ સમાજના અગ્રણી વજુભાઈ વોરીયા દ્વારા આયોજિત એક દિવસીય નિ:શુલ્ક દિવ્ય દરબાર માટે સ્થાનિક આગેવાનો, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application