અકસ્માતની રાહ જોતું જાખરનું જર્જરિત પુલીયું

  • July 24, 2023 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-વાડીનાર નેશનલ હાઇવેમાં જાખરના પાટીયા પાસેનું પુલ અતિ જર્જરિત હાલતમાં છે, તંત્ર દ્વારા દર બે મહિને થૂંકના સાંધારુપી રીપેર કરવામાં આવે છે, આ પુલીયું જાખર પાટીયાથી અડધો કી.મી. પહેલા આવે છે, અત્યારે વરસાદીના કારણે પુલીયુ સાવ ધોવાઇ ગયું છે, વાહનોને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે.
પુલીયાની હાલત અતિ ગંભીર હોવા છતાં અને ર૪ કલાક ધમધમતો આ રોડ હોવા છતાં તંત્ર દ્વારા આ રોડ અને પુલીયાની કામગીરીમાં ગંભીરતા દાખવવામાં આવતી નથી, જેના કારણે અકસ્માત થવાની ભીતિ સર્જાઇ છે. અકસ્માત થાય તો જવાબદાર કોની ? તેવો પ્રશ્ર્ન ગ્રામજનોમાં ચર્ચાઇ રહ્યો છે. આ પુલીયા તથા રોડનું કામ વ્યવસ્થિત રીતે તાકીદે કરવામાં આવે તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application