જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હંગામો મચાવી યુવાન પર જીવલેણ હુમલો કરનાર ત્રણ સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધાયો

  • July 01, 2023 11:23 AM 

જામનગરમાં અંધાશ્રમ આવાસ વિસ્તારમાં યુવતીની છેડતી ના પ્રશ્ને બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો હોવાથી તેની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન જી.જી. હોસ્પિટલમાં આવીને ત્રણ હુમલાખોરોએ ફરીથી હુમલો કરી દીધો હતો.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં રહેતા પ્રવીણભાઈ લક્ષ્મીદાસ ગજરા નામના ૩૫ વર્ષના યુવાને પોતાના સાળા સંજયસિંહ ઉપર છરીના ઉપરા છાપરી ઘા મારી દઈ ખૂન ની કોશીશ કરવા અંગે અંધશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, અને અભીરાજસિંહ નવલસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને  પોલીસે હત્યા પ્રયાસ અંગેની કલમ ૩૦૭ તથા અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને હુમલાખોરો ભાગી છુટયા હોવાથી પોલીસ તેઓને સુધી રહી છે. અંધાશ્રમ આવાસ વિસ્તારમાં એક યુવતીની છેડતી કરવાના પ્રશ્ને મામલો ગરમાયો હતો, અને બંને વચ્ચે તકરાર થઈ હતી, જે બનાવના મનદુઃખનો ખાર રાખીને આરોપીઓ ફરીથી જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા, અને હુમલો કરી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application