માધવપુરમાં ઊંટનો સારવાર અને નિદાન કેમ્પ યોજાયો

  • August 23, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માધવપુરની રમણીય ચોપાટી ઉપર અસંખ્ય ઊંટ માલિકો તેમના ઊંટને લઈને આવે છે અને સહેલાણીઓ ઊંટ સવારીની મજા માણે છે,ત્યારે આવા ઊંટ માટે પશુપાલન વિભાગ દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 
પોરબંદર જિલ્લા પશુપાલન શાખા અને પશુ દવાખાના દ્વારા ઊંટ વર્ગના પ્રાણીઓ માટે ઝેરબાજ અને ખસ વિરોધી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયતના પશુપાલન શાખાના અધિકારી આઈ.એસ. ગેહલોતના માર્ગદર્શન હેઠળ માધવપુરમાં કેમ્પ યોજવામાં આવ્યો હત. પશુ ચિકિત્સક અધિકારીઓની ટીમ દ્વારા ઊંટની સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં પચાસ જેટલા ઊંટને એન્ટીસરા અને ખસ વિરોધી સારવાર આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application