ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

  • June 22, 2023 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરણ-૯ ના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

જામનગરમાં ગત તા. ૧૧-૬-૨૦૨૩ના રોજ ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી દ્વારા બાલ મંદિરથી ધો. ૯ ના વિધાર્થીઓનો સન્માન સમારોહ ૨૦૨૩ ના રોજ યોજાયેલ હતો, જેમાં ૨૦૦ થી વધુ વિધાર્થીઓને શૈક્ષણિક કીટ તથા સ્કૂલ બેગનું વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત અતીથીવિશેષ તરીકે વિમલભાઈ કગથરા (ભાજપ શહેર અધ્યક્ષ), દિવ્યેશભાઈ અકબરી (ધારાસભ્ય), આકાશભાઈ બારડ ( પ્રમુખ ચૌહાણ ફળી), હસમુખભાઈ હિંડોચા (ગોવા શીપ યાર્ડ ડાયરેકટર), વિરલભાઈ બારડ (યુવા ભાજપ), મુકેશભાઈ માંતગ (કોર્પોરેટર વોર્ડ નં. ૧૦), ક્રિષ્નાબેન સોઢા (કોર્પોરેટર વોર્ડ નં. ૧૦), આશાબેન રોઠોડ (કોર્પોરેટર વોર્ડ નં. ૧૦), જ્ઞાતિ સામાજીક ક્ષેત્રના મનસુખભાઈ ચૌહાણ (બી.બી.સી. વારા), ભારતીબેન રાઠોડ, અજીતભાઈ ભટ્ટી (ખેત્રીફળી પ્રમુખ), સુંદરલાલ રાઠોડ, જયસુખભાઈ ચાવડા (નિવૃત પ્રિન્સીપાલ), જયભાઈ રાઠોડ (પ્રિન્સીપાલ), દિલીપભાઈ ચૌહાણ (મધ્યસ્થ મંડળ પ્રમુખ), મહેશભાઈ ચૌહાણ (તળાવ ફળી પ્રમુખ), પરેશ ચાવડા (દેશળદેવ એજયુ. ટ્રસ્ટ પ્રમુખ), પંકજ સોઢા, અશોક પરમાર (જે.એમ.સી. સેક્રેટરી), સજજનબેન ચૌહાણ, વિજય અજા, નિલેશ હાડા (નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સભ્ય), જયમીન દવે તથા આગેવાનો તથા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અરવિંદભાઈ ચૌહાણ, શિક્ષણ સમિતી ચેરમેન સાગર કિશોરભાઈ રાઠોડ, મંત્રી દિનેશભાઈ સોઢા તથા કારોબારી સમિતી હેમત પરમાર, ભાવેશ રાઠોડ, અનીષ સોઢા, ભરત સોલંકી, દિનેશ ચૌહાણ આ કાર્યક્રમમાં સહભાગી થયેલ રમેશભાઈ રાઠોડ, સુધીરભાઈ રાઠોડ, દેવજી ભટ્ટી, દિપુભાઈ બાલા, મનસુખ જેઠવા, મોહનભાઈ ચુડાસમા તથા ખીમા મામા મિત્રમંડળ તથા ચારણ ફળી મહિલા મિત્રમંડળના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application