નંદાણાના ૪૫ વર્ષીય યુવકનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ

  • November 28, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા ૪૫ વર્ષ ના એક યુવાનને એકાએક પોતાના ઘેર છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, અને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા પછી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જેરામભાઈ ચકુભાઈ સોલંકી નામના ૪૫ વર્ષના દેવીપુજક જ્ઞાતિના યુવાનને તા. ૨૫ના પોતાના ઘેર એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, તેથી તેને સારવાર માટે જમજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર વિજય જેરામભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતાં શેઠ વડાલા પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડી જામજોધપુરની સરકારી હોસ્પિટલે પહોંચી ગઈ હતી, અને જેરામભાઇના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. તેઓનું હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application