જૂનાગઢમાં ૧૭ વર્ષની સગીરાએ એસિડ પી જઇ જીવન ટૂંકાવી લીધ

  • April 02, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢના બીલખા રોડ પર રહેતી ૧૭ વર્ષની સગીરાએ એસિડ પી લેતા તેને સારવાર માટે પ્રથમ જુનાગઢ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અહીં સારવાર દરમિયાન સગીરાએ દમ તોડી દીધો હતો.સગીરાએ માનસિક તકલીફના લીધે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.
​​​​​​​
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જુનાગઢમાં બીલખા રોડ પ્ર જયેન્દ્ર થાન શેરીમાં રહેતી સપના ગૌતમભાઇ બેરડીયા(ઉ.વ ૧૭) નામની સગીરાએ ગત તા.૩૦/૩ ના રોજ ઘરે કોઇ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેને સારવાર માટે પ્રથમ જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સગીરાને તબીયત વધુ બગડતા બાદમાં તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અહીં સારવાર દરમિયાન સગીરાએ હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો.સગીરા બે બહેન એક ભાઇના પરિવારમાં નાની હતી.તેના પિતા સફાઇ કામ કરે છે.સગીરાને માનસિક તકલીફ હોય જેનાથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
જયારે અન્ય એક બનાવમાં મોરબીના કડીયાણા ગામે રહેતા નરેશ નાગરભાઇ પારઘી(ઉ.વ ૩૩) નામના યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં સારવાર દરમિયાન ગઇકાલે રાત્રીના યુવાને દમ તોડી દીધો હતો.યુવાને કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application