ગુજરાતમાં આઠ પૈકી છ મહાનગરના 871.72 કરોડના પાણી બિલ બાકી

  • March 05, 2024 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની સ્થાનિક સંસ્થાઓ લોકો પાસેથી પાણીના દર વસૂલ કરે છે પરંતુ ખુદ પાણીના બીલો ભરતી નહીં હોવાનું સામે આવ્યું છે. આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન પૈકી છ સંસ્થાઓએ રાજ્યના પાણી પુરવઠા વિભાગને 871.72 કરોડ રૂપિયાના પાણી બીલો ચૂકવ્યા નહીં હોવાથી નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે.

રાજ્યના પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ અને વડોદરાની સંસ્થાઓ એવી છે કે જેમના પાણીના બાકી બીલોની રકમ શૂન્ય છે, જ્યારે ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને સુરતના પાણી બીલો બાકી છે.

ગાંધીનગરને નર્મદા મેઇન કેનાલના નભોઇ હેડક્વાર્ટરથી પાણી આપવામાં આવે છે. રાજકોટ, જામનગર અને ભાવનગરને પડધરી તથા લોધીકા જૂથ યોજના તેમજ નર્મદા આધારિત સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ઉપરાંત પરિએજ, માળિયા, બ્રાહ્મણી અને મચ્છુના પાણી અપાય છે. જૂનાગઠને હસ્નાપુર, આણંદપુર અને વિલિંગ્ડન ડેમ ઉપરાંત કુવા મારફતે પાણી મળે છે. સુરતને માત્ર તાપીનું પાણી અપાઇ રહ્યું છે.
રાજ્યની છ મહાનગર પાલિકાઓ કે જેમના પાણી બીલો બાકી છે તેમને દર મહિને બીલ મોકલવામાં આવે છે. નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા દ્વારા માર્ચ 2023ની સ્થિતિએ માત્ર 17153.93 લાખ પાણીના વેરા પેટે જમા કરવામાં આવ્યા છે. પાણીના બાકી વેરા બાબતે ક્ષેત્રિય કચેરીઓ દ્વારા નોટિસ પાઠવી બાકી રકમ જમા કરવા માટે તાકીદ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application