જામનગરમાં ચાવડાનો ડેલો, અંબાજીના ચોક ખાતે વસવાટ કરતા તથા ટ્રાન્સપોર્ટનો વ્યાવસાય કરતા વિજયભાઇ હરીશભાઇ ચાવડા પાસેથી બ્લોક નં. ૮, ફલેટ નં. ૨૦૪, મોહનનગર આવાસ કોલોની, ગુલાબનગર જામનગર ખાતે વસવાટ કરતા તથા ધોબીકામ કરતા રશ્મિનભાઇ હસમુખભાઇ ગણાત્રાએ પોતાની અંગત જરુરીયાત અર્થે નાણાકીય જરુરીયાત ઉભી થતા ફરીયાદી વિજયભાઇ હરીશભાઇ ચાવડા પાસેથી ૬ માસ માટે સંબંધદાવે હાથઉછીની રુા. ૫૦.૦૦૦ અંકે રુપીયા પચાસ હજારની માંગણી કરતા ફરીયાદી વિજયભાઇ હરીશભાઇ ચાવડાએ આરોપીને મદદરુપ થવાના શુભ આશયથી તેઓની જરુરીયાત મુજબના રુા. ૫૦ હજાર રોકડા આપેલ હતા, આરોપી રશ્મિન હસમુખભાઇ ગણાત્રાએ ફરીયાદીની કાયદેસર લેણી નીકળતી રકમ અંગે તેઓના બેંક ઓફ બરોડા, લાલ બંગલા શાખા, જામનગરમાં આવેલ ખાતામાંથી તા. ૫-૯-૨૨નો ૫૦ હજારનો ચેક લખી આપેલ હતો.
જે ચેક તેની પાકતી મુદતે ફરીયાદી દ્વારા પોતાની બેંક મારફતે વસુલાત માટે ભરતા ચેક ફન્ડસ ઇન્શફીસીયન્ટના કારણે પરત ફરેલ હતો જેથી ફરીયાદીએ આરોપી વિરુઘ્ધ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેની ફરીયાદ દાખલ કરી હતી, આ કેસ ચાલી જતા આરોપી પક્ષ દ્વારા આ કામે એવો બચાવ લેવામાં આવેલ કે આ કામમાં પ્રથમ નોટીસ આપ્યા બાદ સમય મર્યાદામાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ નથી અને ત્યારબાદ ફરી નોટીસ આપવામાં આવેલ છે. જેથી બે વાર નોટીસ આપેલ હોય ફરીયાદીનો કેસ ટકવા પાત્ર રહેતો નથી જયારે ફરીયાદી દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ, જુબાની વિગેરે તથા બે વાર નોટીસ આપી શકાય તે બાબતે કોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ જે ઘ્યાને લઇ જામનગરના જયુડી મેજી. આર.બી. ગોસાઇએ કેસમાં આરોપી રશ્મિનભાઇ હસમુખભાઇ ગણાત્રાને તકસીરવાન ઠરાવી પાંચ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમનો દંડ ભરવા હુકમ કરેલ તથા દંડની રકમ આરોપી ભરે તે તમામ રકમ ફરીયાદીને વળતર સ્વરુપે ચુકવી આપવા તથા આરોપી દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે, આ કેસમાં ફરીયાદી તરફે વકિલ ઉદયસિંહ ડી. ચાવડા, બેનઝીર એ. જુણેજા તથા કપિલ એસ. તીર્થાણી રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech