ભાણવડમાં રહેતા એક પરિવારના મકાનમાં શનિવારે રાત્રિના સમયે તસ્કરોએ ખાબકી આ મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ ૬૦ હજારની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૫.૮૪ લાખની માલ-મત્તા ઉસેડી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની ભાણવડ પોલીસ દફતરમાં જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના મૂળ વતની અને હાલ ભાણવડની ઓમકાર ગ્રીન ગાર્ડન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા તથા ખાનગી ક્લિનિક ચલાવતા નગાભાઈ ઉર્ફે નયનભાઈ દેવાણંદભાઈ રાવલીયા નામના ૩૩ વર્ષના આહિર યુવાન ગત તા. ૧૧ મી ના રોજ રાત્રિના સમયે વાળુ-પાણી કરીને સુતા હતા. ત્યાર બાદ રાત્રિના ત્રણથી રવિવારે સવારે છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. આ મકાનના રસોડાના બંધ દરવાજાનો આગરીઓ તોડી અને પ્રવેશેલા તસ્કરોએ તેમના મકાનમાં રહેલા લાકડાનો કબાટ ખોલી તેમાં રાખવામાં આવેલા કપડાં વિગેરે વેરવિખેર કરી નાખ્યા હતા.
આ લાકડાના કબાટમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ તેઓને જોવા મળી ન હતી. આથી તેઓએ તેમના રૂપિયા ૨,૭૩,૦૫૯ ની કિંમતના ૪૫.૮૭૦ ગ્રામ વજનના સોનાના બે હાર, અઢી લાખ રૂપિયાની કિંમતનો આશરે ૮ તોલાનો અન્ય એક હાર, ૫૦૦ ની કિંમતનો ખોટી ધાતુનો પીળો હાર ઉપરાંત રૂ. ૬૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થયાનું પ્રકાશમાં આવ્યું હતું.
આમ, કુલ રૂપિયા ૫,૮૩,૫૫૯ ના મુદ્દામાલની ચોરી થવા સબબ ભાણવડ પોલીસે નગાભાઈ ઉર્ફે નયનભાઈ રાવલિયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં અહીંના ડી.વાય.એસ.પી. ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.ડી. વાંદા તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech