રાજકોટમાં ફાયર એનઓસી નહીં ધરાવતા ૪૬ યુનિટ સીલ

  • June 04, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફાયર એનઓસી ન હોય તેવા એકમોને તત્રં છાવરવા માંગતું હોય અથવા તો તેઓ ફાયર સલામતી ધરાવતા નથી તે મુદ્દે બદનામ ન થાય તેની તકેદારી લેતું હોય કે અન્ય કોઇ કારણ હોય રાજકોટમાં ફાયર એનઓસી ન હોય તેવી મિલકતો અને સંકુલો સીલ કરવાની ડેઇલી ડ્રાઇવ ચાલુ છે પરંતુ હવે તે મિલકતો–સંકુલોના નામ, વોર્ડ, વિસ્તાર વિગેરેના નામો જાહેર કરવાનું મહાપાલિકા તંત્રએ બધં કયુ છે, ફાયર સેફટીના કાયદા–નિયમોનો ભગં કરીને ધંધો કરનારાઓની પ્રતિા સચવાઇ રહે તે માટે ખુદ તંત્રવાહકો કાવતં રચી રહ્યા છે ત્યારે રાજકોટની ૨૦ લાખની જનતામાંથી એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું હાઇકોર્ટના આદેશનું આ રીતે પાલન કરવાનું છે ? હાલ સુધી જનસંપર્ક અધિકારી (પીઆરઓ) દ્રારા મોકલાતી દરેક પ્રેસ રિલીઝમાં સીલ થયેલા સંકુલોના નામ જાહેર કરાતા હતા તે જે હવે ગઇકાલથી બધં કરાયા છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ દ્રારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. આ વોર્ડ કમિટી દ્રારા ઝૂંબેશના પમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્રારા ગઇકાલે તા.૩ના રોજ સાંજે સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ ૧૪૭ એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ ૪૬ સંકુલો સીલ કરવામાં આવ્યા હતા.દરમિયાન આ લખાય છે ત્યારે આજે પણ સવારથી સમગ્ર શહેરમાં વોર્ડવાઇઝ ટુકડીઓ મોકલીને ફાયર સેફટી અને ફાયર એનઓસીનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્રારા એવો હત્પકમ કરાયો છે કે દરેક સંકુલમાં ફાયર એનઓસી લોકો જોઈ શકે તે રીતે જાહેરમાં ડિસ્પ્લે કરવાનું રહેશે ( જેથી લોકોને ખ્યાલ આવી શકે કે તેઓ જે સ્થળે છે ત્યાં ફાયર સેફટી છે), બીજી બાજુ ખુદ મહાપાલિકા તત્રં જ ફાયર એનઓસી ન હોય તેવી મિલકતો સીલ કર્યા પછી પ્રેસ મીડિયા સમક્ષ તે મિલકતો–સંકુલોના નામો જાહેર કરતું નથી જેથી કઇ મિલકત કે સંકુલ સીલ થયું તેના નામો જાહેર જનતાને જાહેર હિતમાં જાણવા મળતા નથી. એકંદરે કમિશનરના પરસ્પર વિરોધાભાસી હત્પકમોથી વિવાદ સર્જાયો છે, મિલકતો સીલ થવાથી પ્રતિાને હાનિ થતી હોય આ મામલે જેમની મિલકતો સીલ થાય છે તેઓ રાજકીય ભલામણો કરાવવા લાગ્યા હોવાની પણ લોકમુખે ચર્ચા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application