જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં  4 જવાન ઘાયલ, 1 શહીદ અને  એક આતંકી ઠાર

  • July 27, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે કલાકોથી અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો. હવે સેના દ્વારા માહિતી આપવામાં આવી છે કે એન્કાઉન્ટરમાં એક મેજર સહિત ચાર જવાન ઘાયલ થયા છે. એક જવાન શહીદ થયો છે.


જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. માહિતી મુજબ આ વિસ્તારમાં ઘણા આતંકીઓ છુપાયેલા છે. જવાનોએ એક આતંકીને ઠાર પણ કર્યો છે. હવે સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપી છે કે એન્કાઉન્ટરમાં ચાર સૈનિકો ઘાયલ થયા છે, જેમાં એક મેજર રેન્કના અધિકારીનો પણ સમાવેશ થાય છે. એક જવાન શહીદ થયો હતો.


એન્કાઉન્ટર પર ભારતીય સેના તરફથી નિવેદન પણ આવ્યું છે. સેનાએ કહ્યું કે ઉત્તર કાશ્મીરના કુપવાડામાં માછિલ સેક્ટર સ્થિત કામકરીમાં ફોરવર્ડ પોસ્ટ પર અજાણ્યા લોકો સાથે ફાયરિંગ થયું હતું. સેનાના જણાવ્યા અનુસાર આ ફાયરિંગમાં એક પાકિસ્તાની માર્યો ગયો છે, જ્યારે ઘાયલ સૈનિકોને ઘટનાસ્થળેથી સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે.


સુરક્ષા દળોને કુપવાડામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી પહેલાથી જ મળી હતી. સેના છેલ્લા ઘણા દિવસોથી અહીં આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ BAT હુમલો છે. BAT એટલે બોર્ડર એક્શન ટીમ, જેમાં પાકિસ્તાની આર્મીના કમાન્ડો અને આતંકવાદીઓનો સમાવેશ થાય છે. તેઓ નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરી કરે છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application