રાજકોટ સહિત રાયના ભાજપના ૩૦ આગેવાનોને યુપી–પંજાબ ચૂંટણીમાં મોકલાયા

  • May 10, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ગુજરાતની તમામ બેઠકોની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને ચૂંટણી માટે દિવસ રાત જોયા વગર કામ કર્યા પછી આરામ પણ થઈ ગયો છે. હવે આગામી દિવસોમાં પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિતના રાયોમાં યાં ચૂંટણી બાકી છે ત્યાં ગુજરાતભરમાંથી ૩૦ જેટલા ચુનંદા આગેવાનો અને કાર્યકરોને અન્ય રાયોમાં ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવી રહ્યા છે.

રાજકોટના પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરી અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણીને પંજાબ માટે પ્રભારીની જવાબદારી સોપવામાં આવી છે. ભંડેરીને પંજાબના ગુદાસપુરની બેઠક માટેના અને મીરાણીને સનગર બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા છે.લોકસભાની ગુજરાતની ચૂંટણીમાં ભંડેરીએ રાજકોટ બેઠકમાં અને મીરાણીએ કચ્છની બેઠકમાં મહત્વની જવાબદારીઓ સંભાળી હતી.
ભંડેરી અને મીરાણી ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઇ દવેને ઉત્તર પ્રદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાશી મતવિસ્તારના ઝોનપુર બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં ધવલભાઇ દવેએ પોરબંદરની બેઠક પર સક્રિય ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત રાયભરમાંથી કુલ ૩૦ જેટલા આગેવાનો અને કાર્યકરોને ઉત્તર પ્રદેશ પંજાબ જેવા રાયોમાં ચૂંટણીની કામગીરી માટે પ્રદેશ ભાજપ તરફથી સૂચના આપવામાં આવી છે અને તેમાંથી મોટાભાગના આગેવાનો અને કાર્યકરો પોતાને સોંપવામાં આવેલી જવાબદારી બજાવવા નીકળી પણ ગયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application