Video : રાજકોટમાં બાગેશ્વર બાબાના દરબારનો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કર્યો વિરોધ, ગુજરાત કક્ષાની મીટીંગ બોલાવાઈ

  • May 16, 2023 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




દેશભરમાં હમણા ચર્ચાનો વિષય બનેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આગામી મહીને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બે દિવસીય દરબાર લાગવાનો છે. ત્યારે આ પહેલા રાજકોટના સહકારી અગ્રણી પુરુષોતમ પીપળીયાએ બાબા બાગેશ્વરને ચેલેન્જ આપી છે.

​​​​​​​આ બાદ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, વિજ્ઞાન જાથા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લલકારે છે અને આ દરબારનો વિરોધ કરે છે, હાલ વિજ્ઞાન જાથાએ જાથાના પ્રશંસકોની ગુજરાત કક્ષાની મીટીંગ બોલાવી છે અને આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન કરાશે અને કલેકટરને આવેદન પણ આપવામાં આવશે. આ લોકોની ભાવના સાથે આ ખિલવાડ છે.


તો પુરુષોત્તમ પીપળીયાએ પર પોસ્ટ કરીને કર્યું છે કે, રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે. જણાવશો તો 5 લાખનું ઇનામ આપીશ અને જો બાબા મને જવાબ આપશે તો હું તેમનું મંદિર પણ બનાવીશ પુરુષોત્તમ પીપળીયાના આ નિવેદન બાદથી રાજકોટમાં ભારે ચર્ચા શરુ થઇ ચુકી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application