રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ બે નાની માછલીઓ વીંધાઈ, PI જે.વી.ધોળા તથા વી.એસ.વણઝારાને કરાયા સસ્પેન્ડ

  • July 03, 2024 08:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ બે નાની માછલીઓ વીંધાઈ છે. જેમાં આજે PI જે.વી.ધોળા તથા વી.એસ. વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


રાજકોટ TRP અગ્નિકાંડના કેસમાં તત્કાલીન PI વી.એસ.વણઝારા અને તત્કાલીન પીઆઇ જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા છે. SITની તપાસ બાદ DGPએ સસ્પેન્શનનો આદેશ કર્યો છે. અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં બે પોલીસ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. 2021માં આ બંને પીઆઈ રાજકોટમાં હતા. જેના માટે એસઆઈટીએ બંનેની જવાબદારી ફિક્સ કરી.


25 મેના રોજ સર્જાઈ હતી દુર્ઘટના

સમગ્ર મામલાની વાત કરીએ તો 25 મે 2024ના રોજ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના ઘટી હતી. જેમાં 27 લોકોના મોત નિપજ્યા હતા. ગેમઝોનમાં મૃતક પ્રકાશ જૈન 60 ટકાનો ભાગીદાર હતો. જ્યારે યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા. યુવરાજસિંહ સોલંકીને 1 લાખનો પગાર પણ મળતો. જ્યારે જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજા 10-10 ટકાના ભાગમાં હોવાનું સામે આવ્યું હતું. 


આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની હતી. પોલીસે આ મામલે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ  કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application