નવાગમ ઘેડમાં શાકભાજીના ધંધાર્થીનો આપઘાત

  • August 21, 2023 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નવાગામ-ઘેડના જાસોલીયા સોસાયટીમાં રહેતા શાકભાજીના વેપારીએ આર્થિક સંકળામણના કારણે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.


જામનગરમાં નવાગામ ઘેડ નજીક જાસોલિયા સોસાયટીમાં રહેતા અને શાકભાજી નો વેપાર કરતા મિલન ભરતભાઈ ડાભી નામના ૨૪ વર્ષના વેપારી યુવાને પોતાના ઘેર છતના રૂફમાં લગાવેલી લોખંડની આડશમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મહેશ રમેશભાઈ પારેજીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના મહિલા પી.એસ.આઇ. એસ.વી. સામાણીએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિત કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક મિલન ડાભી શાકભાજીનો વ્યવસાય કરતો હતો, અને પોતે ઘરમાં એકલો જ કમાવાવાળો હતો. પરંતુ તેનો ધંધો બરોબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણ ભોગવતો હતો. જેના કારણે આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર કરાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application